દિવાળી 2021 તારીખ અને મુહૂર્ત
2021 માં દિવાળી ક્યારે છે?
4
નવેમ્બર, 2021
(ગુરૂવાર)

Diwali Muhurat For New Delhi, India
Lakshmi Puja Muhurat :
18:10:29 to 20:06:20
સમયગાળો :
1 કલાક 55 મિનિટ
Pradosh Kaal :
17:34:09 to 20:10:27
Vrishabha Kaal :
18:10:29 to 20:06:20
આવો જાણો 2021 માં દિવાળી ક્યારે છે અને દિવાળી 2021 ની તારીખ અને મુહૂર્ત।
દિવાળી અથવા દિપાવલી હિન્દુ ધર્મ નું એક પ્રમુખ તહેવાર છે. હિન્દુ ધર્મ માં દિવાળી નું વિશેષ મહત્વ છે. ધનતેરસ થી ભાઈબીજ સુધી આશરે પાંચ દિવસ સુધી ચાલવાવાળો દિવાળી નો તહેવાર ભારત અને નેપાળ ની સાથે દુનિયા ના બીજા ઘણા દેશો માં બનાવવા માં આવે છે. દીપાવલી ને દીપોત્સવ પણ કહેવાય છે કેમકે દીપાવલી નું મતલબ હોય છે દીપો ની અવલી એટલે કે પંક્તિ। દિપાવલી અંધકાર પર પ્રકાશ નો વિજય દર્શાવે છે.હિન્દુ ધર્મ સિવાય બૌદ્ધ, જૈન અને શીખ ધર્મ ના અનુયાયી પણ દિવાળી મનાવે છે. જૈન ધર્મ માં દિવાળી ને ભગવાન મહાવીર ના મોક્ષ ના દિવસ ના રૂપ માં ઉજવવા માં આવે છે. ત્યાં જ શીખ સમુદાય માં આને બંદી છોડ દિવસ ના રૂપ માં ઉજવવા માં આવે છે.
દિવાળી ક્યારે મનાવવા માં આવે છે?
1. કાર્તિક માસ માં અમાવાસ્યા ના દિવસે પ્રદોષકાળ હોવા પર દિવાળી (મહાલક્ષ્મી) પૂજન ઉજવવા નું વિધાન છે. જો અમાવસ્યા તિથિ બે દિવસ સુધી પ્રદોષકાળ ને સ્પર્શ ના કરે તો બીજા દિવસે દિવાળી મનાવવા નો વિધાન છે. આ મત સૌથી વધારે પ્રચલિત અને માન્ય છે.
2. ત્યાં જ એક બીજા મત અનુસાર, જો બે દિવસ સુધી અમાવસ્યા તિથિ, પ્રદોષ કાળ માં નથી આવતી, તો આવી સ્થિતિ માં પહેલાં દિવસ દિવાળી ઊજવવી જોઈએ।
3. આના સિવાય જો અમાવસ્યા તિથિ નો વિલોપન થઈ જાય, એટલે કે જો અમાવાસ્યા તિથી જ ના પડે અને ચતુર્દશી ની બાદ સીધું પ્રતિપદા આરંભ થઇ જાય, તો આવા માં પહેલા દિવસ ચતુર્દશી તિથિ ઉપર જ દિવાળી ઊજવવા નો વિધાન છે.
દિવાળી પર લક્ષ્મી પૂજન ક્યારે કરાય?
મુહર્ત નું નામ | સમય | વિશેષતા | મહત્વ |
---|---|---|---|
પ્રદોષ કાળ | સૂર્યાસ્ત પછી ના ત્રણ મુહૂર્ત | લક્ષ્મી પૂજન નું સૌથી ઉત્તમ સમય | સ્થિર લગ્ન હોવા થી પૂજા નું વિશેષ મહત્વ |
મહાનિશીથ કાળ | મધ્ય રાત્રી ના સમયે આવનારો મુહૂર્ત | માતા કાળી ના પૂજન નું વિધાન | તાંત્રિક પૂજા માટે શુભ સમય |
1. દેવી લક્ષ્મી નું પૂજન પ્રદોષકાળ (સૂર્યાસ્ત પછી ના ત્રણ મુહૂર્ત) માં કરવું જોઈએ। પ્રદોષ કાળ ના દરમિયાન સ્થિર લગ્ન માં પૂજન કરવું સર્વોત્તમ માનવા માં આવ્યું છે. આ દરમિયાન જ્યારે વૃષભ, સિંહ, વૃશ્ચિક અને કર્ક રાશિ લગ્ન માં ઉદિત થાય ત્યારે માતા લક્ષ્મી નું પૂજન કરવું જોઈએ। કેમકે આ 4 રાશિ સ્થિર સ્વભાવ ની હોય છે. એ માન્યતા છે કે જો સ્થિર લગ્ન ના સમયે પૂજા કરવા માં આવે તો માતા લક્ષ્મી અંશ રૂપ માં ઘર માં રહી જાય છે.
2. મહાનિશીથ કાળ દરમ્યાન પણ પૂજન નું મહત્વ છે પરંતુ આ સમયે તાંત્રિક, પંડિત અને સાધકો માટે વધારે ઉપયુક્ત હોય છે. આ કાળ માં મહાકાળી ની પૂજા નું વિધાન છે. આના સિવાય એ લોકો પર આ સમય માં પૂજન કરી શકે છે જે મહાનિશીથ કાળ ના વિશે સમજ રાખતા હોય.
દિવાળી પર લક્ષ્મી પૂજન ની વિધિ
દિવાળી પર લક્ષ્મી પૂજન નું વિશેષ વિધાન છે. આ દિવસે સંધ્યા અને રાત્રી ના સમયે શુભ મુહૂર્ત માં માતા લક્ષ્મી, વિઘ્નહર્તા ભગવાન ગણેશ અને માતા સરસ્વતી ની પૂજા અને આરાધના કરવા માં આવે છે. પુરાણો મુજબ કાર્તિક અમાવસ્યા ની અંધારી રાત માં મહાલક્ષ્મી સ્વયં ભૂ લોક પર આવે છે અને દરેક ઘર માં વિચરણ કરે છે. આ દરમિયાન જે ઘર દરેક પ્રકાર થી સ્વચ્છ અને પ્રકાશમાન હોય, ત્યાં તે અંશ રૂપ માં રોકાઈ જાય છે એટલે દિવાળી પર સાફ-સફાઈ કરી ને વિધિ-વિધાન થી પૂજન કરવા થી માતા મહાલક્ષ્મી ની વિશેષ કૃપા થાય છે. લક્ષ્મી પૂજન ની સાથે કુબેર પૂજા પણ કરી શકાય છે. પૂજન દરમિયાન આ બાબતો નું ધ્યાન રાખવું જોઈએ।
1. દિવાળી ના દિવસે લક્ષ્મી પૂજન થી પહેલા ઘર ની સાફ સફાઈ કરો અને આખા ઘર માં વાતાવરણ ની શુદ્ધિ અને પવિત્રતા માટે ગંગાજળ નો છંટકાવ કરો. સાથે જ ઘર ના દ્વાર પર રંગોળી અને દીવા ની એક શ્રુંખલા બનાવો।
2. પૂજાસ્થળ પર એક વેદી રાખો અને લાલ વસ્ત્ર પાથરી તેના પર લક્ષ્મીજી અને ગણેશજી ની મૂર્તિ રાખો અથવા દિવાલ પર લક્ષ્મીજી નું ચિત્ર લગાડો। વેદી ની પાસે જળ ભરેલું એક કળશ મુકો।
3. માતા લક્ષ્મી અને ગણેશજી ની મૂર્તિ પર તિલક લગાડો અને દીવો પ્રગટાવી જળ, મૌલી, ચોખા, ફળ, ગોળ, હળદર, અબીલ ગુલાલ વગેરે અર્પિત કરો અને માતા મહાલક્ષ્મી ની સ્તુતિ કરો.
4. આની સાથે દેવી સરસ્વતી, માં કાળી, ભગવાન વિષ્ણુ અને કુબેર દેવ ની પણ વિધિ-વિધાન થી પૂજા કરો.
5. મહાલક્ષ્મી પૂજન આખા પરિવાર ને એકત્રિત કરી ને કરવું જોઈએ।
6. મહાલક્ષ્મી પૂજન પછી તિજોરી, બહીખાતા અને વેપારી ઉપકરણ ની પૂજા કરો.
7. પૂજન ના બાદ શ્રદ્ધા મુજબ જરૂરિયાત મંદ લોકો ને મીઠાઈ અને દક્ષિણ આપો.
દિવાળી પર શું કરો?
1. કાર્તિક અમાવસ્યા એટલે કે દિવાળી ના દિવસે વહેલી સવારે શરીર પર તેલ ની માલિશ કર્યા પછી સ્નાન કરવું જોઈએ। એ માન્યતા છે કે આવુ કરવા થી ધન ની ખોટ નથી થતી.
2. દિવાળી ના દિવસે વડીલો અને બાળકો ને મૂકી બીજા વ્યક્તિ ને ભોજન કરાવવું જોઈએ નહિ. સાંજે મહાલક્ષ્મી પૂજન પછી ભોજન ગ્રહણ કરો.
3. દિવાળી પર પૂર્વજો નું પૂજન કરો અને ધૂપ તથા ભોગ અર્પિત કરો. પ્રદોષકાળ ના સમયે હાથ માં ઉલ્કા ધારણ કરી પિત્તરો ને માર્ગ દેખાડો। અહીં ઉલ્કા થી મતલબ છે કે દીવો પ્રગટા વી અથવા બીજા માધ્યમ થી અગ્નિ ની રોશની માં પિત્તરો ને માર્ગ દેખાડો। આવું કરવા થી પૂર્વજો ની આત્મા ને શાંતિ અને મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.
4. દિવાળી થી પહેલા મધ્યરાત્રી ના સમયે સ્ત્રી-પુરુષો નું ગીત ભજન અને ઘર માં ઉત્સવ ઊજવવો જોઈએ। કહેવા માં આવે છે કે આવું કરવા થી ઘર માં વ્યાપ્ત દરિદ્રતા દૂર થાય છે.
દિવાળી ની પૌરાણિક કથા
હિન્દુ ધર્મ માં દરેક તહેવાર થી કોઈ ધાર્મિક માન્યતા અને કહાની સંકળાયેલી છે. દિવાળી માટે પણ બે મહત્વ ની કથાઓ પ્રચલિત છે.
1. કાર્તિક અમાવસ્યા ના દિવસે શ્રી રામચંદ્રજીએ ચૌદ વર્ષ નો વનવાસ પૂરો કરી અને લંકાપતિ રાવણ નો નાશ કરી અયોધ્યા પાછા ફર્યા હતા. આ દિવસે ભગવાન શ્રી રામચંદ્રજી ના અયોધ્યા આગમન ની ખુશી પર લોકોએ દીપ પ્રગટાવી ને ઉત્સવ મનાવ્યો હતો. ત્યાર થી જ દિવાળી ની શરૂઆત થઈ.
2. એક બીજી કથા અનુસાર નરકાસુર નામક રાક્ષસે પોતાની શક્તિઓ થી દેવતાઓ અને સાધુ સંતો ને હેરાન કરી દીધું। આ રાક્ષસે સાધુ સંતો ની 16003 સ્ત્રીઓ ને બંદી બનાવી લીધું હતું। નરકાસુર ના વધતા અત્યાચારો થી પરેશાન દેવ અને સાધુ-સંતોએ ભગવાન શ્રી કૃષ્ણ થી મદદ માંગી હતી. આના પછી ભગવાન શ્રીકૃષ્ણે કાર્તિક માસ માં કૃષ્ણ પક્ષ ની ચતુર્દશી તિથિ ના દિવસે નરકાસુર નો વધ કરી ને દેવતાઓ અને સાધુ સંતો ને તેના આતંક થી મુક્તિ અપાવી હતી, સાથે જ 16000 સ્ત્રીઓ ને કેદ થી મુક્ત કરાવ્યું હતું। આ ખુશી માં બીજા દિવસે એટલે કે કારતક માસ ની અમાવસ્યા દિવસે લોકોએ પોતાના ઘર માં દીવો પ્રગટાવ્યા। ત્યાર થી નરક ચતુર્દશી અને દિવાળી નું તહેવાર બનાવવા માં આવ્યું।
આના સિવાય દિવાળી ને લઈને બીજી પણ અનેક કથાઓ સાંભળવા મળે છે.
1. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન વિષ્ણુએ રાજા બલિ ને પાતાળ લોક નો સ્વામી બનાવ્યું હતું અને ઈન્દ્રે સ્વર્ગ ને સુરક્ષિત પામી દિવાળી મનાવી હતી.
2. આ દિવસે સમુદ્રમંથન દરમિયાન ક્ષીર સાગર થી લક્ષ્મીજી પ્રગટ થઈ હતી અને તેમને ભગવાન વિષ્ણુજી ને પતિ ના રૂપ માં સ્વીકાર કર્યું હતું।
દિવાળી નું જ્યોતિષીય મહત્વ
હિન્દુ ધર્મ માં દરેક તહેવાર નું જ્યોતિષ મહત્વ હોય છે. માનવા માં આવે છે કે વિવિધ પર્વો અને તહેવારો પર ગ્રહો ની દિશા અને વિશેષ યોગ માનવ સમુદાય માટે શુભ ફળદાયી હોય છે. હિન્દુ સમાજ માં દિવાળી નું સમય કોઈ પણ કાર્ય માટે અને કોઈ વસ્તુ ની ખરીદી માટે ઘણુ શુભ માનવા માં આવે છે. આ વિચાર પાછળ જ્યોતિષીય મહત્વ છે. હકીકત માં દિવાળી ની આજુબાજુ સૂર્ય અને ચંદ્ર તુલા રાશિ માં સ્વાતિ નક્ષત્ર માં સ્થિત હોય છે. વેદિક જ્યોતિષ મુજબ સૂર્ય અને ચંદ્ર ની આ સ્થિતિ શુભ અને ઉત્તમ ફળ આપવા વાળી હોય છે. તુલા એક સંતુલિત ભાવ રાખવા વાળી રાશિ છે. આ રાશિ ન્યાય અને અપક્ષપાત નું પ્રતિનિધિત્વ કરે છે. તુલા રાશિ ના સ્વામી શુક્ર જે કે પોતે સૌહાર્દ, ભાઈચારા, આપસી સદ્ભાવ અને સન્માન ના પરિબળ છે। આ ગુણ ને લીધે સૂર્ય અને ચંદ્ર બન્ને નું તુલા રાશિ માં સ્થિત થવું એક સુખદ અને સંયોગ છે.
દિવાળી નું આધ્યાત્મિક અને સામાજિક બંને રૂપે વિશેષ મહત્વ છે. હિંદુ દર્શનશાસ્ત્ર માં દિવાળી ને આધ્યાત્મિક અંધકાર પર આંતરિક પ્રકાશ, અજ્ઞાન પર જ્ઞાન, અસત્ય પર સત્ય ના અને બુરાઈ પર અચ્છાઇ નો ઉત્સવ કહેવા માં આવ્યું છે.
અમે આશા રાખીએ છીએ કે દિવાળી નો તહેવાર તમારા માટે મંગળમય હોય. માતા લક્ષ્મી ની કૃપા તમારા પર હંમેશા બની રહે અને તમે પોતાના જીવન માં સુખ સમૃદ્ધિ અને ખુશાલી પ્રાપ્ત કરો.
AstroSage on Mobile ALL MOBILE APPS
AstroSage TV SUBSCRIBE
- Baisakhi 2025: Auspicious Yoga & More!
- Venus Direct In Pisces: Be Ready For Job Promotions & Appraisals
- Tarot Weekly Horoscope From 13-19 April, 2025
- May Planetary Transits 2025: Career Progress & Business Profits For 3 Lucky Zodiacs!
- Chaitra Purnima Fast 2025: Full Moon Of Blessings!
- Hanuman Jayanti 2025: Date, Time, & Vidhi!
- Sun Transit In Ashwini Nakshatra – Luck & Prosperity For 3 Lucky Zodiacs!
- Hanuman Jayanti 2025: Unleashing Wealth & Success For 3 Lucky Zodiacs!
- Numerology Weekly Horoscope: From April 13th to 19th!
- Venus Direct In Pisces: A Breather For These 5 Zodiac Signs!
- बेहद शुभ योग में मनाया जाएगा बैसाखी का त्योहार, जानें तिथि, मुहूर्त और महत्व!
- धन-वैभव के दाता शुक्र करेंगे अपनी चाल में बदलाव, इन राशियों के बनेंगे नौकरी में तरक्की के योग!
- टैरो साप्ताहिक राशिफल : 13 अप्रैल से 19 अप्रैल, 2025
- चैत्र पूर्णिमा व्रत 2025: इस विधि से करेंगे पूजा, तो ज़रूर प्रसन्न होंगे श्री हरि!
- हिंदू नववर्ष की पहली पूर्णिमा पर मनाई जाएगी हनुमान जयंती, जानें तिथि, मुहूर्त और पूजा विधि!
- अंक ज्योतिष साप्ताहिक राशिफल (13 अप्रैल से 19 अप्रैल, 2025): कैसा रहेगा यह सप्ताह आपके लिए?
- शुक्र मीन राशि में मार्गी होकर इन राशियों को देंगे शुभ परिणाम, अच्छा समय होगा शुरू!
- सूर्य का मेष राशि में गोचर, इन राशियों पर पड़ सकता है भारी, इनकी होगी बल्ले-बल्ले!
- मीन राशि में शुक्र की मार्गी चाल शेयर बाज़ार के लिए रहेगी अशुभ, रहना होगा सावधान!
- कामदा एकादशी 2025: इस दिन राशि अनुसार लगाएं श्री हरि को भोग!
- [Apr 14, 2025] બૈસાખી
- [Apr 14, 2025] મેષ સંક્રાંતિ
- [Apr 14, 2025] આંબેડકર જયંતી
- [Apr 16, 2025] સંકષ્ટી ચતુર્થી
- [Apr 24, 2025] વરુથિની એકાદશી
- [Apr 25, 2025] પ્રદોષ વ્રત (કૃષ્ણ)
- [Apr 26, 2025] માસિક શિવરાત્રિ
- [Apr 27, 2025] વૈશાખ અમાવસ્યા
- [Apr 30, 2025] અક્ષય તૃતિયા
- [May 8, 2025] મોહિની એકાદશી
- [May 9, 2025] પ્રદોષ વ્રત (શુક્લ)
- [May 12, 2025] વૈશાખ પૂર્ણિમા વ્રત
- [May 15, 2025] વૃષભ સંક્રાંતિ
- [May 16, 2025] સંકષ્ટી ચતુર્થી
- [May 23, 2025] અપરા એકાદશી